આ પુસ્તકમાં ડો. વીજળીવાળાનો મૌખિક લેખક કે ચિંતક બનવાનો જરાય અભિપ્રાય નથી, પણ એમની પ્રસંગ કે ઘટનાની પસંદગી અને એની માંડણી કલાત્મક છે. એટલું જ નહી પણ તેઓ ઓછામાં ઓછા શબ્દોમાં પ્રભાવક રીતે વાત મૂકી શકે છે.એક પણ શબ્દ મિથ્યા ભાવબોધ જગાવવા એ વાપરતા નથી. તેમ છતાં એમની સ્વચ્છ શૈલીથી વાચકોને ભાવવિભોર કરી શકે છે. એમની પાંપણોને ભીની કરી શકે છે, એમને સ્વચ્છ જળમાં સ્નાન કરવાની સ્ફૂર્તિનો પવન અનુભવ કરાવે છે.
Reviews
There are no reviews yet.